નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજ ૧૦-૧૦-૧૦ નો અદભૂત સમન્વય સર્જાયો છે, સાથે એ પણ યોગાનુયોગ છે કે, વિજયાદશમી પણ નજીક આવી રહી છે – તેનોજ એક ભાગ નવરાત્ર પણ ચાલુ હોઈ ..આગામી સર્વનું જીવન સુંદર બને તે માટે માં જગ-જનની જગદંબા પાસે સૌ મળી ને પ્રાર્થના કરીએ. માં આદ્યશક્તિના પાવન દિવસોમાં સમગ્ર વાતાવરણ જયારે ભક્તિમય બની રહ્યું છે ત્યારે એક એક પળને જીવનમાં શક્તિ પ્રાપ્ત કરવાનો સમય સમજીને માની આરાધના કરીએ તો આયખું ચોક્કસ સફળ થશે.. જય માતાજી ….